જો નર્મદા ન હોત તો....
માત્ર નર્મદાના પાણી પર આધારિત સુધરાઇઓ કે પંચાયતો પોતાના સ્રોત જાળવવામાં ઉદાસીન શા માટે ? : પાણીનો પોકાર કચ્છમાં નવી વાત નથી પણ વ્યવસ્થા સાચવી શકાય તેમ હોવા છતાં લોકોને મુસિબતમાં મુકી દેનારા સત્તા પક્ષ કે તંત્રનું પાણી મપાઇ જાય છે જો નર્મદા ન હોત તો ω તો કચ્છમાં ગમે તેટલો ઔદ્યોગિક વિકાસ થાત કે શહેરો અને ગામોમાં માળખાકિય સુવિધા હોવા છતાં પાણી માટેની પરેશાની દુકાળસમી જ લાગત. સરદાર સરોવર ડેમની નીચે આવેલા ભરૂચ - રાજપીપળાના ગામોને જ્યારે નર્મદાના વહેણમાંથી પાણી મેળવવાની સમસ્યા થઇ ત્યારે એ વિસ્તારના રહેવાસીઓએ જંગના મંડાણ કર્યા હોવાની સ્થિતિ ઉભી થઇ છે. કચ્છની વાત કરીએ તો પાણી સમસ્યા અે પુરાતનકાળ જેવી જૂની બાબત છે. 70ના દાયકાથી 90ના દાયકા સુધી કચ્છમાં સિંચાઇ કે પીવાના પાણ માટે કેન્દ્ર સરકાર સુદ્ધાં વહીવટી કાર્યવાહીઓ કરી ચૂકી છે પણ ઉદાસીનતાના મુદ્દે કાયમી નિરાકરણ નથી આવ્યું. રણ સરોવરની વાત હોય કે ગ્રેવીટીથી પાણી આપવાની વાત હોય, બધું જ જાણે ઇલ્લે ઇલ્લે થઇને વાત ઉડી ગઇ છે. તાજેતરના પખવાડિયાની વાત કરીએ તો માળિયા પાસેના પમ્પિંગ સ્ટેશનમાં વાલ્વ ખરાબ થઇ ગયા બાદ પાણીની સ્થ...