Posts

Showing posts from 2023
Image
રણના રાજા સાથે રણમાં રેયાણ ધોરડોને મોડેલ વિલેજ બનાવનારા મિંયાહુસેન ગુલબેગ બન્યા કચ્છના પ્રવાસનના એમ્બેસેડર   ભાવિન વોરા. ભુજ  તા : 27 સપ્ટેમ્બર 2023 (વિશ્વ પ્રવાસન દિવસ)  આંખોમાં સૂરમો, પરંપરાગત ફેંટો, ભાતીગળ પહેરવેશ અને આત્મવિશ્વાસની છાલકભરી ચાલ સાથેનું અલાયદું રર્બન (રુરલ અને અર્બન) વ્યક્તિત્વ ધરાવતા મિયાંહુસેન ગુલબેગ એટલે કચ્છના રણ પ્રવાસનના એમ્બેસેડર. આ રણના રાજા સાથે તાજેતરમાં સફેદ રણની વચાળે રેયાણ કરી ત્યારે અદનો આદમી કચ્છને રોકેટ ગતિએ દુનિયાના નકશામાં ચમકાવી શકે છે એ ખારાપાટમાં તરી આવ્યું. તેમના સંસ્મરણો મુજબ ૪૦ વર્ષ પહેલાં જ્યારે નરેન્દ્ર મોદી અહીં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, રણથી ડરવાનું નથી, તેને દુનિયાના નકશામાં મુકવાનું છે. આ બાબત સમયાંતરે સાચી પડી છે.  ચલચિત્રોના સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ગુજરાત પ્રવાસન વિભાગ સાથે કચ્છને રૂપેરી પડદા ઉપર જાહેરાતના માધ્યમથી ટુરિઝમ એમ્બેસેડરની ભૂમિકા ભજવી અને ‘કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા’ આ વાક્ય લોકોના હોઠો ઉપર રમતું કરી દીધું છે. પણ, મિયાંહુસેન તો સરહદી રણ પ્રવાસનના સંવર્ધક સાબિત થયા અને તેમની વિઝનર...
  કચ્છને નર્મદાના વધારાના ૧ મિલીયન એકર ફિટ પાણીની કામગીરી ૨૦૨૫ સુધી પૂર્ણ થશે   જિલ્લાની ૧.૭૨ લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે: ભૂપેન્દ્ર પટેલ સરકારે દોઢ વર્ષમાં આપી બીજી વહીવટી મંજૂરી :  કચ્છના પાણીકારણ માટે રાહત આપતી જાહેરાત   ભુજ : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કચ્છમાં નર્મદાના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીના સધર્ન અને નોર્ધન લિંક કેનાલના કામો માટે રૂપિયા રૂ.૨,૩૦૪.૯૨ કરોડની વહીવટી મંજૂરી આપી છે. દરમિયાન જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે, કચ્છને નર્મદાનું વધારાનું ૧ મિલીયન એકર ફિટ પાણી વર્ષ ૨૦૨૫ સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થશે. તેના લીધે અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના ૧૩૦ જેટલા ગામોના અંદાજે ૧.૭૨ લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે. જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જળ સંપત્તિ વિભાગ દ્વારા અગ્રીમતાના ધોરણે આ કામો હાથ ધરાશે. તબક્કા-૧ ના કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે અને કામગીરી પ્ર...