Posts

Showing posts from April, 2025
સિંધુ હોય કે નર્મદા : કરાર અને ફાળવણીના અન્યાયનો ભોગ કચ્છ બન્યું છે  👇 પહેલગામમાં પાકિસ્તાનના નાપાક કારસ્તાન બાદ ભારત સરકારના સિંધુ જળ રોકવાના પગલાં વચ્ચે તા. 27 ડિસેમ્બર 2020નો મારો સંદર્ભ લેખ  👇 28 ડિસેમ્બર 1960ના ભારત પાક સિંધુ કરારમાં ઇન્ડસ બેઝિનના પાણી ગયાં અને 1979ના નર્મદા ટ્રિબ્યુનલની ફાળવણી બાદ કચ્છને ભારે પાણી કાપ સહન કરવો પડ્યો 👇 પાણીની સતત કમી વચ્ચે જીવતા દુનિયાના કોઇ દેશ જેટલો વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લાને ફાળવાયેલા પાણી અને મળેલા પાણીમાં કોઇને કોઇ કરાર કે ટ્રીબ્યુનલના નિયમોના આધારે અન્યાય થતો હોવાનું ચિત્ર ઉપસતું આવ્યું છે. ઇન્ડસ બેઝિન એટલે સિંધુના પાણીનો મુદ્દો સ્વાતંત્રય અને રાજાશાહી કાળનો છે જ્યારે કચ્છને નર્મદાના નિયમિત અને વધારાના પાણીનો મુદ્દો 1980ની સરકારો બાદ વધારે ચગતો આવ્યો છે. કચ્છ ઇન્ડસ બેઝિનનો ભાગ છે એમ કચ્છના અભ્યાસુ એવા લોકપ્રતિનિધિ રહેલા મહેશભાઇ ઠક્કરે તેમના સિંધુના પાણી અને કચ્છમાં વિવિધ દસ્તાવેજી આધારો સાથે નોંધ્યું છે. 19મી સદીની આ નદી કચ્છમાંથી વહેતી હતી. કચ્છની સંસ્કૃતિ એ સિંધુ સંસ્કૃતિના આધારે સ્થાપિત થઇ હતી. ઋગવેદ અને મહાભારતમાં પણ આ નદીન...