નો પોલિટીકસ . . . . હમીરસર ઓગન્યું ભુજનો અનેરો પ્રસંગ ..... ઓગનોત્સવનો રાજીપો કચ્છ અને બૃહદ કચ્છીઓને
અગાઉ કેદારનાથ પર પાણીની અવકૃપા થઇ અને પાણી પોતાનો રસ્તો કરી લે છે એ વિષે લખવાનું થયું હતું આજે અનોખો પ્રસંગ ભુજવાસીઓ માટે આવ્યો છે જેમાં એજ વરસાદી પાણીની મેઘકૃપા થઇ છે. હમીરસર ઓગન્યું ભુજ નો અનેરો પ્રસંગ ..... રાજીપો કચ્છ અને બૃહદ કચ્છીઓને થયો છે એનું કારણ એ કે એમાં ભુજ ની માટીની મહેક છે। કારણ આ નગર જિલ્લા મથક હોવાના કારણે કોઈને કોઈ રીતે જિલ્લાવાસીઓ એ ભુજ આવવું પડતું હોય છે . કદાચ કોઈ કામ ના હોય તોય સગા સંબંધીઓ કે મિત્રોને મળવા આવવાનું થતું હોય છે . અરે હવે તો કચ્છની બહારના લોકો પણ કહેતા હોય છે કે યાર એકવાર કચ્છ તો જોવા જવું છે। પેલું તમારું કયું તળાવ કે જે ભુજ ની વચ્ચે છે એ પણ જોવાની ઈચ્છા છે . ભલે એટલું અન્ય મહાનગરો ની સરખામણી માં હમીરસર અતિશય મોટું ના કહેવાય પરંતુ સાવ નાનું પણ ન જ કહેવાય . વાત ભુજવાસીઓના આનંદ અને રાજીપા ની છે . આજે શુક્રવારે સર એટલે કે તળાવ ઓવરફ્લોવ થયું છે એટલે હવે આજે સવારથી નગરજનો મોટાબંધ થી માંડી ને જ્યાં ઓવર્ફ્લોવ થાય છે તે ઓગન ના સ્થળે આંટા મારવામાં થાકતા નથી .અને હવે તો વિક એન્ડ છે એટલે...