Posts

Showing posts from August, 2023
  કચ્છને નર્મદાના વધારાના ૧ મિલીયન એકર ફિટ પાણીની કામગીરી ૨૦૨૫ સુધી પૂર્ણ થશે   જિલ્લાની ૧.૭૨ લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે: ભૂપેન્દ્ર પટેલ સરકારે દોઢ વર્ષમાં આપી બીજી વહીવટી મંજૂરી :  કચ્છના પાણીકારણ માટે રાહત આપતી જાહેરાત   ભુજ : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કચ્છમાં નર્મદાના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીના સધર્ન અને નોર્ધન લિંક કેનાલના કામો માટે રૂપિયા રૂ.૨,૩૦૪.૯૨ કરોડની વહીવટી મંજૂરી આપી છે. દરમિયાન જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે, કચ્છને નર્મદાનું વધારાનું ૧ મિલીયન એકર ફિટ પાણી વર્ષ ૨૦૨૫ સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થશે. તેના લીધે અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના ૧૩૦ જેટલા ગામોના અંદાજે ૧.૭૨ લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે. જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જળ સંપત્તિ વિભાગ દ્વારા અગ્રીમતાના ધોરણે આ કામો હાથ ધરાશે. તબક્કા-૧ ના કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે અને કામગીરી પ્ર...