શું એ વન ગ્રેડ ખરેખર એ વન સાબિત થાય છે ?
રાજ્ય શિક્ષણ બોર્ડ અને સીબીએસઇ વચ્ચેની હુંસાતુંસીમાં બાળકનું સાચું મૂલ્યાંકન છેક ધોરણ 10ના પરિણામ બાદ વાલીઓને જાણવા મળે છે, ત્યારે સમય બહુ નીકળી ગયો હોય છે : વિદ્યા રથીની સફળતાનું માર્કેટિંગ હોર્ડિંગ્સથી માંડીને પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરીને શાળા અને ટ્યુશન ક્લાસ બંને કરતાં હોય છે ત્યારે છાત્રની સરસ્વતિ સાધનાનો પુરસ્કાર તેની ફી માફીથી માંડીને સારી શિષ્યવૃતિ પુરી પાડવા સુધી આપી શકાય. વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ જરૂરી છે નહીં કે વ્યવસાય કેન્દ્રિત : ગણિત - વિજ્ઞાન અને અન્ય વિષયોની તુલનામાં જ્યારે અમુક શાળાઅો પરિણામ કરતાં વિઝનલક્ષી વર્કિંગ કરે ત્યારે ધોરણ 11માં પરિણામપત્રકના મેરિટ મુજબ પ્રવેશ અટકે તો હોંશિયાર બાળકોના વાલીઓને અચંબામાં પડી જાય છે. ભાવિન વોરા (તા : 11 જુન 2017) પરિણામ આવી ગયું, સારું આવ્યું. સંતાન કેન્દ્રિય બોર્ડમાં એ વન ગ્રેડમાં એટલે કે 10 આઉટ ઓફ 10 સીજીપીએ રેન્ક લાવ્યું છે. હવે સારું મેરિટ લાવવા માટે રાજ્યના શિક્ષણ બોર્ડમાં મૂકશું એટલે બાકીની શૈક્ષણિક કારકિર્દીને બળ મળશે અને શિક્ષણ બોર્ડમાં પણ અવ્વલ થવાની તક જળવાઇ રહેશે. બસ્સ, આવી જ માન્યતાઓ વચ્ચે ...