Posts

Showing posts from 2025

બ્લેક આઉટ

 7મી મે 2025ના બ્લેક આઉટનું રીહર્સલ થશે પણ કચ્છના લોકોએ ચાલુ યુદ્ધમાં બ્લેક આઉટ અનુભવ્યું છે  - ભાવિન વોરા👇 ૧૯૬૫માં યુદ્ધ કચ્છની સરહદે થયું, નૈતિક યોદ્ધા નાગરિકો બન્યા : તા. ૨ ઓગસ્ટ ૨૦૧૬ના પ્રકાશિત લેખના મુખ્ય અંશો  👇 1. કચ્છમાં સરહદ અને આસપાસ રહેતા લોકો ચા-નાસ્તો, પાણીની સગવડ ઊભી કરી આપતા 2. જે લોકો નાગરિક સંરક્ષણમાં તૈયાર થવા ઇચ્છતા તેઓ ખાવડા વિસ્તારની હવાઈ પટ્ટીની સુરક્ષામાં પણ જોડાયા હતા 3. રાત્રે બ્લેક આઉટ હોય કે તે સમયના નવે નવ તાલુકાના આરોગ્ય મથકો હોય ત્યાં સામાન્ય નાગરિકોની મદદ મળી હતી 👇 ઉરીમાં ભારત માટે કમનસીબ ઘટના બની ત્યારે દુશ્મન દેશ પાકિસ્તાન સામે સમગ્ર દેશમાં એક સાથે ભારે ફિટકાર ઊભો થયો. તો 28મી સપ્ટેમ્બર 2016ની ભાંગતી રાત્રે ભારતીય સેનાએ પાક કબજાગ્રસ્ત કાશ્મીરમાં ઘૂસીને આતંકવાદી કેમ્પ ભાંગી નાખ્યા ત્યારે દેશવાસીઓમાં ગર્વભેર ગરમ રક્ત શરીરમાં વહેતું થઈ ગયું હતું. વર્તમાનમાં માત્ર ટીકા ટિપ્પણી કે સરકારની વધુ પડતી ખુશામત કરવા કરતાં દેશના નાગરિક તરીકેની ફરજ આવી કટોકટીની સ્થિતિમાં નહીં તેના સિવાય પણ બજાવી શકાય છે. માત્ર નાગરિક સૈનિક તરીકે સામેલ થવાનું રહે છે જ...
સિંધુ હોય કે નર્મદા : કરાર અને ફાળવણીના અન્યાયનો ભોગ કચ્છ બન્યું છે  👇 પહેલગામમાં પાકિસ્તાનના નાપાક કારસ્તાન બાદ ભારત સરકારના સિંધુ જળ રોકવાના પગલાં વચ્ચે તા. 27 ડિસેમ્બર 2020નો મારો સંદર્ભ લેખ  👇 28 ડિસેમ્બર 1960ના ભારત પાક સિંધુ કરારમાં ઇન્ડસ બેઝિનના પાણી ગયાં અને 1979ના નર્મદા ટ્રિબ્યુનલની ફાળવણી બાદ કચ્છને ભારે પાણી કાપ સહન કરવો પડ્યો 👇 પાણીની સતત કમી વચ્ચે જીવતા દુનિયાના કોઇ દેશ જેટલો વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લાને ફાળવાયેલા પાણી અને મળેલા પાણીમાં કોઇને કોઇ કરાર કે ટ્રીબ્યુનલના નિયમોના આધારે અન્યાય થતો હોવાનું ચિત્ર ઉપસતું આવ્યું છે. ઇન્ડસ બેઝિન એટલે સિંધુના પાણીનો મુદ્દો સ્વાતંત્રય અને રાજાશાહી કાળનો છે જ્યારે કચ્છને નર્મદાના નિયમિત અને વધારાના પાણીનો મુદ્દો 1980ની સરકારો બાદ વધારે ચગતો આવ્યો છે. કચ્છ ઇન્ડસ બેઝિનનો ભાગ છે એમ કચ્છના અભ્યાસુ એવા લોકપ્રતિનિધિ રહેલા મહેશભાઇ ઠક્કરે તેમના સિંધુના પાણી અને કચ્છમાં વિવિધ દસ્તાવેજી આધારો સાથે નોંધ્યું છે. 19મી સદીની આ નદી કચ્છમાંથી વહેતી હતી. કચ્છની સંસ્કૃતિ એ સિંધુ સંસ્કૃતિના આધારે સ્થાપિત થઇ હતી. ઋગવેદ અને મહાભારતમાં પણ આ નદીન...