Posts

Showing posts from June, 2019

કચ્છને અલાયદું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અનિવાર્ય, ખરું ને ?

કચ્છ અને આપત્તિ બંને એકબીજાના પર્યાયમાં રહેતા આવ્યા છે 1956નો અઁજારને તહસનહસ કરનારો ભૂકંપ હોય કે એ અગાઉ 1819માં સિંધના પાણી વાળનારા અલ્લાહ બંધ વખતનો ધરતીકંપ. કોઈને કોઈ રીતે આ સરહદી જિલ્લાની નુકસાનકર્તા રહ્યા છે. કચ્છની તાસીર આપત્તિ અને અવસર વચ્ચે અટવાઈ ગઈ છે ત્યારે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર સતત ઉચાટમાં રહેતા હોય છે. તેનાથી વધુ દરિયા કિનારે રહેતા લોકો, માછીમારો, અગરિયાઓ અને ભૂકંપ ઝોન પાંચમા આવતા વિસ્તારોની સતત ચિંતા થવી એ સ્વાભાવિક બની રહ્યું છે. સમય સમયે સચવાઈ જતું હોય છે પરંતુ દરેક વખતે ઉચાટ કચ્છીઓએ સહન કરવો પડે છે. એક અલાયદા આપત્તિ વ્યવસ્થાપન તંત્રની અનિવાર્યતા સામે ઉભી છે.  મી એટલે કે વરસાદ કચ્છનું ઘરેણું છે અને એ ઘરેણું પહેર્યા વિના ચાલે તેમ નથી. મા નર્મદાના નીર મળ્યા પણ રાજકીય હેતુઓનું સાધ્ય પણ મળ્યું છે.  2001ના વિનાશકારી ભૂકંપ બાદ ૨૦૧૧ સુધી અવિરત અને ચોગરદમ થયેલી મેઘકૃપા થકી જિલ્લાવાસીઓ તરબતર રહેતા આવ્યા છે. સિંધુસાગર તો 1660ના અરસામાં વિલુપ્ત થઇ છે અને 1845 સુધી લખપતના લાલ ચોખાવાળા બંદરનો કારોબાર પણ ખોવાઇ ગયો હતો. ભૂતકાળના પડેલા દુકાળો એક તબક્કે ભુલાતા પણ આ...