Posts

Showing posts from September, 2023
Image
રણના રાજા સાથે રણમાં રેયાણ ધોરડોને મોડેલ વિલેજ બનાવનારા મિંયાહુસેન ગુલબેગ બન્યા કચ્છના પ્રવાસનના એમ્બેસેડર   ભાવિન વોરા. ભુજ  તા : 27 સપ્ટેમ્બર 2023 (વિશ્વ પ્રવાસન દિવસ)  આંખોમાં સૂરમો, પરંપરાગત ફેંટો, ભાતીગળ પહેરવેશ અને આત્મવિશ્વાસની છાલકભરી ચાલ સાથેનું અલાયદું રર્બન (રુરલ અને અર્બન) વ્યક્તિત્વ ધરાવતા મિયાંહુસેન ગુલબેગ એટલે કચ્છના રણ પ્રવાસનના એમ્બેસેડર. આ રણના રાજા સાથે તાજેતરમાં સફેદ રણની વચાળે રેયાણ કરી ત્યારે અદનો આદમી કચ્છને રોકેટ ગતિએ દુનિયાના નકશામાં ચમકાવી શકે છે એ ખારાપાટમાં તરી આવ્યું. તેમના સંસ્મરણો મુજબ ૪૦ વર્ષ પહેલાં જ્યારે નરેન્દ્ર મોદી અહીં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, રણથી ડરવાનું નથી, તેને દુનિયાના નકશામાં મુકવાનું છે. આ બાબત સમયાંતરે સાચી પડી છે.  ચલચિત્રોના સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ગુજરાત પ્રવાસન વિભાગ સાથે કચ્છને રૂપેરી પડદા ઉપર જાહેરાતના માધ્યમથી ટુરિઝમ એમ્બેસેડરની ભૂમિકા ભજવી અને ‘કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા’ આ વાક્ય લોકોના હોઠો ઉપર રમતું કરી દીધું છે. પણ, મિયાંહુસેન તો સરહદી રણ પ્રવાસનના સંવર્ધક સાબિત થયા અને તેમની વિઝનર...